જામનગર,
જામનગર ખાતે સતત જાગૃત અને સક્રિય એવા ડો.પ્રવિણાબેન સંતવાણી એ ફરી ‘જન સેવા એ જ પ્રભુ સેવા’ ના સૂત્રને સાર્થક બનાવ્યું. તા. 02-09-2020 ના રોજ રોટરી કલબ સેનોરાસ દ્વારા મયુર નગર થી આગળ અતિ સ્લમ વિસ્તાર માં ત્રીજો અન્નપૂર્ણા પ્રોજેક્ટ કરવામાં આવ્યો. જેમાં પ્રોજેક્ટ સંચાલક વરિષ્ઠ સભ્ય રોટરીયન વર્ષાબેન કિલુભાઇ વસંત તરફથી સહયોગ મળ્યો હતો.
જેમાં સ્લમબાળકોને થેપલા, શાક અને સુખડી નું વિતરણ કરવામાં આવ્યૂ તેમજ કરમિયા અને વિટામિન ની ગોળીઓ આપવામાં આવી હતી.આ પ્રોજેક્ટ માં કોર્પોરેટર મેઘનાબેન કરિયા તેમજ રોટરી કલબ સેનોરાસ ના અધ્યક્ષા/સંસ્થાપક ડો .પ્રવિણાબેન સંતવાણી હાજર રહી પ્રોજેક્ટ ને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી.